Mahakal Gau Seva Trustमहाकाल गौ सेवा ट्रस्टમહાકાલ ગૌ સેવા ટ્રસ્ટમહાકાલ ગૌ સેવા ટ્રસ્ટ

Terms and conditions

નિયમો અને શરતો

नियम और शर्तें

Last updated 12 September 2026

છેલ્લે સુધાર્યું: 12 સપ્ટેમ્બર 2026

अंतिम अद्यतन: 12 सितंबर 2026

In shortટૂંકમાંसंक्षेप में

Donations to the trust are voluntary gifts, used for gau seva at the trustees' discretion. We accept donations only from Indian citizens and Indian entities. You get a receipt, and a 50% tax deduction under Section 80G if you give us your PAN.

ટ્રસ્ટને અપાતું દાન સ્વૈચ્છિક ભેટ છે, જે ટ્રસ્ટીઓના વિવેક મુજબ ગૌસેવામાં વપરાય છે. અમે માત્ર ભારતીય નાગરિકો અને ભારતીય સંસ્થાઓ પાસેથી દાન સ્વીકારીએ છીએ. તમને રસીદ મળે છે, અને PAN આપો તો કલમ 80G હેઠળ 50% કર-કપાત મળે છે.

ट्रस्ट को दिया गया दान एक स्वैच्छिक भेंट है, जो ट्रस्टियों के विवेक से गौ सेवा में लगाई जाती है। हम केवल भारतीय नागरिकों और भारतीय संस्थाओं से दान स्वीकार करते हैं। आपको रसीद मिलती है, और PAN देने पर धारा 80G के अंतर्गत 50% कर-छूट।

Who we are

અમે કોણ છીએ

हम कौन हैं

Mahakal Gau Seva Trust is a public charitable trust registered under the Bombay Public Trusts Act, 1950 (Reg. No. A/1349/Banaskantha, registered on 30 May 2025 with the Assistant Charity Commissioner, Banaskantha Region, Palanpur). PAN AAKTM1872E. Registered office: 25, Devashi Bunglows, Near Akesan Fatak, Ahmedabad Highway, Palanpur, Dist. Banaskantha, Gujarat – 385001, India.

મહાકાલ ગૌ સેવા ટ્રસ્ટ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ્સ અધિનિયમ, 1950 હેઠળ નોંધાયેલ સાર્વજનિક ધર્માદા ટ્રસ્ટ છે (નોંધણી નં. A/1349/Banaskantha, મદદનીશ ચેરિટી કમિશનર, બનાસકાંઠા પ્રદેશ, પાલનપુર પાસે 30 મે 2025ના રોજ નોંધાયેલ). PAN AAKTM1872E. નોંધાયેલ કાર્યાલય: ૨૫, દેવર્ષી બંગલો, આકેસણ ફાટક પાસે, અમદાવાદ હાઈવે, પાલનપુર, જિ. બનાસકાંઠા, ગુજરાત – ૩૮૫૦૦૧, ભારત.

महाकाल गौ सेवा ट्रस्ट बॉम्बे पब्लिक ट्रस्ट्स अधिनियम, 1950 के अंतर्गत पंजीकृत एक सार्वजनिक धर्मादा ट्रस्ट है (पंजीकरण सं. A/1349/Banaskantha, सहायक धर्मादा आयुक्त, बनासकांठा क्षेत्र, पालनपुर के यहाँ 30 मई 2025 को पंजीकृत)। PAN AAKTM1872E। पंजीकृत कार्यालय: 25, देवाशी बंगलोज़, अकेसन फाटक के पास, अहमदाबाद हाईवे, पालनपुर, ज़िला बनासकांठा, गुजरात – 385001, भारत।

These terms cover your use of mahakalgauseva.org and any donation you make to the trust through it — by UPI, bank transfer or our payment gateway. By using the site or donating, you accept them.

આ શરતો mahakalgauseva.org ના તમારા ઉપયોગને અને તેના દ્વારા UPI, બેંક ટ્રાન્સફર કે અમારા પેમેન્ટ ગેટવેથી તમે ટ્રસ્ટને આપતા કોઈપણ દાનને લાગુ પડે છે. સાઇટનો ઉપયોગ કરીને કે દાન આપીને તમે તેને સ્વીકારો છો.

ये शर्तें mahakalgauseva.org के आपके उपयोग और इसके ज़रिये UPI, बैंक ट्रांसफ़र या हमारे पेमेंट गेटवे से ट्रस्ट को दिए गए किसी भी दान पर लागू होती हैं। साइट का उपयोग करके या दान देकर आप इन्हें स्वीकार करते हैं।

Donations are voluntary gifts

દાન એ સ્વૈચ્છિક ભેટ છે

दान एक स्वैच्छिक भेंट है

A donation is a voluntary gift to the trust. Nothing is sold and no goods or services are given in return. Once made, a donation belongs to the trust; see our refund policy for the limited cases in which we return money.

દાન એ ટ્રસ્ટને અપાતી સ્વૈચ્છિક ભેટ છે. કંઈ વેચાતું નથી અને બદલામાં કોઈ વસ્તુ કે સેવા અપાતી નથી. એક વાર અપાયેલું દાન ટ્રસ્ટનું બને છે; અમે કયા મર્યાદિત સંજોગોમાં નાણાં પરત કરીએ છીએ તે માટે અમારી રિફંડ નીતિ જુઓ.

दान ट्रस्ट को दी गई एक स्वैच्छिक भेंट है। कुछ भी बेचा नहीं जाता और बदले में कोई वस्तु या सेवा नहीं दी जाती। एक बार दिया गया दान ट्रस्ट का हो जाता है; जिन सीमित स्थितियों में हम पैसा लौटाते हैं, उनके लिए हमारी रिफ़ंड नीति देखें।

How your donation is used

તમારા દાનનો ઉપયોગ કેવી રીતે થાય છે

आपके दान का उपयोग कैसे होता है

Donations are applied to the objects of the trust as set out in its registered deed: green fodder, medicines, treatment, shelter and protection for Gaumata, and support to gaushalas.

દાન ટ્રસ્ટના નોંધાયેલ બંધારણમાં દર્શાવેલ હેતુઓ માટે વપરાય છે: ગૌમાતા માટે લીલો ચારો, દવા, સારવાર, આશરો અને ગૌરક્ષા, તથા ગૌશાળાઓને સહાય.

दान ट्रस्ट की पंजीकृत डीड में लिखे उद्देश्यों पर लगाया जाता है: गौमाता के लिए हरा चारा, दवा, इलाज, आश्रय और गौरक्षा, तथा गौशालाओं को सहायता।

Amounts shown on this site — for example, ₹55 to feed one Gaumata for one day — are the trust's estimate of the current cost. They help you choose an amount; they are not a contract to deliver a specific item to a specific animal. The trustees decide where funds are most needed and may pool donations across activities. If you want your gift used for a specific purpose, write it in your WhatsApp message and we will honour it where we reasonably can.

આ સાઇટ પરની રકમો — દા.ત. એક ગૌમાતાને એક દિવસ જમાડવા ₹55 — ટ્રસ્ટનો હાલના ખર્ચનો અંદાજ છે. તે તમને રકમ પસંદ કરવામાં મદદ કરે છે; તે કોઈ ચોક્કસ પ્રાણીને ચોક્કસ વસ્તુ પહોંચાડવાનો કરાર નથી. નાણાંની સૌથી વધુ જરૂર ક્યાં છે તે ટ્રસ્ટીઓ નક્કી કરે છે અને જુદી જુદી પ્રવૃત્તિઓ માટે દાન એકત્ર કરીને વાપરી શકે છે. તમારી ભેટ કોઈ ચોક્કસ હેતુ માટે વાપરવી હોય તો તમારા WhatsApp સંદેશમાં લખો; શક્ય હશે ત્યાં અમે તેનું પાલન કરીશું.

इस साइट पर दी गई राशियाँ — जैसे एक गौमाता को एक दिन भोजन कराने के लिए ₹55 — ट्रस्ट का वर्तमान लागत का अनुमान हैं। ये आपको राशि चुनने में मदद करती हैं; ये किसी विशेष पशु को कोई विशेष वस्तु पहुँचाने का अनुबंध नहीं हैं। धन की सबसे अधिक ज़रूरत कहाँ है, यह ट्रस्टी तय करते हैं और अलग-अलग गतिविधियों के लिए दान को मिलाकर उपयोग कर सकते हैं। यदि आप अपनी भेंट किसी विशेष उद्देश्य के लिए देना चाहते हैं, तो अपने WhatsApp संदेश में लिखें; जहाँ उचित रूप से संभव होगा, हम उसका पालन करेंगे।

Who may donate

કોણ દાન આપી શકે

कौन दान दे सकता है

We accept donations only from Indian citizens, and from companies, firms and institutions registered in India, paid in Indian rupees from an Indian bank account or Indian payment instrument. The trust is not registered under the Foreign Contribution (Regulation) Act, 2010 and cannot lawfully accept money from a foreign source, including NRIs paying from a foreign account. By donating you confirm that your donation is not a foreign contribution under that Act. If we receive a payment we cannot lawfully accept, we will return it.

અમે માત્ર ભારતીય નાગરિકો પાસેથી અને ભારતમાં નોંધાયેલી કંપનીઓ, પેઢીઓ અને સંસ્થાઓ પાસેથી, ભારતીય બેંક ખાતા કે ભારતીય ચુકવણી માધ્યમથી ભારતીય રૂપિયામાં દાન સ્વીકારીએ છીએ. ટ્રસ્ટ વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ, 2010 હેઠળ નોંધાયેલ નથી અને વિદેશી સ્રોતમાંથી — વિદેશી ખાતાથી ચૂકવતા NRI સહિત — કાયદેસર નાણાં સ્વીકારી શકતું નથી. દાન આપીને તમે પુષ્ટિ કરો છો કે તમારું દાન તે અધિનિયમ હેઠળ વિદેશી યોગદાન નથી. અમે કાયદેસર સ્વીકારી ન શકીએ તેવી ચુકવણી મળે તો અમે તે પરત કરીશું.

हम केवल भारतीय नागरिकों से, और भारत में पंजीकृत कंपनियों, फ़र्मों और संस्थाओं से, भारतीय बैंक खाते या भारतीय भुगतान माध्यम से भारतीय रुपये में दान स्वीकार करते हैं। ट्रस्ट विदेशी अंशदान (विनियमन) अधिनियम, 2010 के अंतर्गत पंजीकृत नहीं है और किसी विदेशी स्रोत से — विदेशी खाते से भुगतान करने वाले NRI सहित — क़ानूनी रूप से पैसा स्वीकार नहीं कर सकता। दान देकर आप पुष्टि करते हैं कि आपका दान उस अधिनियम के अंतर्गत विदेशी अंशदान नहीं है। यदि हमें ऐसा भुगतान मिलता है जिसे हम क़ानूनी रूप से स्वीकार नहीं कर सकते, तो हम उसे लौटा देंगे।

We do not accept cash. Donations must come through a banking channel.

અમે રોકડ સ્વીકારતા નથી. દાન બેંકિંગ માધ્યમથી જ આવવું જોઈએ.

हम नकद स्वीकार नहीं करते। दान बैंकिंग माध्यम से ही आना चाहिए।

Tax deduction under Section 80G

કલમ 80G હેઠળ કર-કપાત

धारा 80G के अंतर्गत कर-छूट

The trust holds provisional registration under Section 12A and provisional approval under Section 80G of the Income-tax Act, 1961 (URN AAKTM1872E20261, valid to Assessment Year 2027-28). Donations are eligible for a 50% deduction under Section 80G, subject to the limits in the Act and your own tax position.

ટ્રસ્ટ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 12A હેઠળ કામચલાઉ નોંધણી અને કલમ 80G હેઠળ કામચલાઉ માન્યતા ધરાવે છે (URN AAKTM1872E20261, આકારણી વર્ષ 2027-28 સુધી માન્ય). અધિનિયમની મર્યાદાઓ અને તમારી પોતાની કર-સ્થિતિને આધીન, દાન કલમ 80G હેઠળ 50% કપાત માટે પાત્ર છે.

ट्रस्ट के पास आयकर अधिनियम, 1961 की धारा 12A के अंतर्गत अनंतिम पंजीकरण और धारा 80G के अंतर्गत अनंतिम मान्यता है (URN AAKTM1872E20261, निर्धारण वर्ष 2027-28 तक मान्य)। अधिनियम की सीमाओं और आपकी अपनी कर-स्थिति के अधीन, दान धारा 80G के अंतर्गत 50% छूट के पात्र हैं।

To claim it you must give us your correct name, PAN and address. Each year the trust reports donations to the Income Tax Department in Form 10BD and issues Form 10BE certificates to donors. We can only report donations for which we hold a PAN. We are not tax advisers; whether and how much you can claim depends on your own circumstances.

તે મેળવવા તમારે અમને તમારું સાચું નામ, PAN અને સરનામું આપવું જરૂરી છે. દર વર્ષે ટ્રસ્ટ ફોર્મ 10BDમાં આવકવેરા વિભાગને દાનની જાણ કરે છે અને દાતાઓને ફોર્મ 10BE પ્રમાણપત્ર આપે છે. જે દાન માટે અમારી પાસે PAN હોય તેની જ જાણ અમે કરી શકીએ છીએ. અમે કર-સલાહકાર નથી; તમે કપાત મેળવી શકો કે નહીં અને કેટલી, તે તમારા સંજોગો પર આધારિત છે.

इसका दावा करने के लिए आपको हमें अपना सही नाम, PAN और पता देना होगा। हर वर्ष ट्रस्ट फ़ॉर्म 10BD में आयकर विभाग को दान की जानकारी देता है और दाताओं को फ़ॉर्म 10BE प्रमाणपत्र जारी करता है। हम केवल उन्हीं दानों की जानकारी दे सकते हैं जिनके लिए हमारे पास PAN है। हम कर-सलाहकार नहीं हैं; आप छूट का दावा कर सकते हैं या नहीं और कितना, यह आपकी अपनी परिस्थितियों पर निर्भर है।

Receipts

રસીદ

रसीद

We issue a receipt for every donation for which we receive the donor's details, normally on WhatsApp or email. Form 10BE certificates are issued after the trust files Form 10BD, which is due by 31 May following the end of each financial year.

દાતાની વિગતો મળે તે દરેક દાન માટે અમે રસીદ આપીએ છીએ, સામાન્ય રીતે WhatsApp કે ઈમેલ પર. ફોર્મ 10BE પ્રમાણપત્ર ટ્રસ્ટ ફોર્મ 10BD ભરે તે પછી અપાય છે, જે દરેક નાણાકીય વર્ષ પૂરું થયા પછીની 31 મે સુધીમાં ભરવાનું હોય છે.

जिस दान के लिए हमें दाता का विवरण मिलता है, उसके लिए हम रसीद जारी करते हैं, आमतौर पर WhatsApp या ईमेल पर। फ़ॉर्म 10BE प्रमाणपत्र ट्रस्ट द्वारा फ़ॉर्म 10BD भरने के बाद जारी होते हैं, जो हर वित्तीय वर्ष की समाप्ति के बाद 31 मई तक भरना होता है।

Payments

ચુકવણી

भुगतान

Payments are made through the trust's bank (Axis Bank UPI and account transfer) or a licensed payment gateway. The gateway's own terms apply to the payment step. The trust never sees or stores your card number, CVV or UPI PIN. Transaction charges, if any, are borne by the trust. A payment is complete when the money reaches the trust's bank account.

ચુકવણી ટ્રસ્ટની બેંક (Axis Bank UPI અને ખાતા ટ્રાન્સફર) અથવા લાઇસન્સવાળા પેમેન્ટ ગેટવે મારફતે થાય છે. ચુકવણીના તબક્કે ગેટવેની પોતાની શરતો લાગુ પડે છે. ટ્રસ્ટ તમારો કાર્ડ નંબર, CVV કે UPI PIN ક્યારેય જોતું કે સંગ્રહતું નથી. વ્યવહાર ખર્ચ, જો કોઈ હોય, તો ટ્રસ્ટ ભોગવે છે. નાણાં ટ્રસ્ટના બેંક ખાતામાં પહોંચે ત્યારે ચુકવણી પૂર્ણ ગણાય છે.

भुगतान ट्रस्ट के बैंक (Axis Bank UPI और खाता ट्रांसफ़र) या लाइसेंस-प्राप्त पेमेंट गेटवे के ज़रिये होता है। भुगतान के चरण पर गेटवे की अपनी शर्तें लागू होती हैं। ट्रस्ट आपका कार्ड नंबर, CVV या UPI PIN कभी नहीं देखता और न ही संग्रहीत करता है। लेन-देन शुल्क, यदि कोई हो, ट्रस्ट वहन करता है। भुगतान तब पूर्ण माना जाता है जब पैसा ट्रस्ट के बैंक खाते में पहुँच जाता है।

This website

આ વેબસાઇટ

यह वेबसाइट

The photographs, text and logo on this site belong to the trust. You may share links freely; please do not copy the photographs or the logo for any other purpose without written permission. We try to keep the site accurate and available, but we do not promise it will be error-free or uninterrupted, and, to the extent the law allows, we are not liable for loss arising from your use of it.

આ સાઇટ પરના ફોટા, લખાણ અને લોગો ટ્રસ્ટના છે. લિંક મુક્તપણે શેર કરી શકો છો; લેખિત પરવાનગી વિના ફોટા કે લોગો બીજા કોઈ હેતુ માટે નકલ ન કરશો. અમે સાઇટને સાચી અને ઉપલબ્ધ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ તે ભૂલરહિત કે અવિરત રહેશે તેની ખાતરી આપતા નથી, અને કાયદો જેટલી છૂટ આપે તેટલી હદે, તેના ઉપયોગથી થતા નુકસાન માટે અમે જવાબદાર નથી.

इस साइट के फ़ोटो, पाठ और लोगो ट्रस्ट के हैं। आप लिंक स्वतंत्र रूप से साझा कर सकते हैं; कृपया लिखित अनुमति के बिना फ़ोटो या लोगो किसी अन्य उद्देश्य के लिए कॉपी न करें। हम साइट को सही और उपलब्ध रखने का प्रयास करते हैं, पर यह वादा नहीं करते कि यह त्रुटि-रहित या निर्बाध रहेगी, और जहाँ तक क़ानून अनुमति देता है, इसके उपयोग से होने वाली हानि के लिए हम उत्तरदायी नहीं हैं।

Governing law

લાગુ કાયદો

लागू क़ानून

These terms are governed by the laws of India. The courts at Palanpur, District Banaskantha, Gujarat have exclusive jurisdiction.

આ શરતો ભારતના કાયદા હેઠળ છે. પાલનપુર, જિ. બનાસકાંઠા, ગુજરાતની અદાલતોને જ અધિકારક્ષેત્ર રહેશે.

ये शर्तें भारत के क़ानूनों द्वारा शासित हैं। पालनपुर, ज़िला बनासकांठा, गुजरात की अदालतों का ही क्षेत्राधिकार होगा।

Changes and contact

ફેરફાર અને સંપર્ક

बदलाव और संपर्क

We may update these terms; the date at the top shows the current version. Questions: mahakalgausevatrust@gmail.com or +91 90992 32411.

અમે આ શરતો સુધારી શકીએ છીએ; ઉપરની તારીખ હાલની આવૃત્તિ દર્શાવે છે. પ્રશ્નો: mahakalgausevatrust@gmail.com અથવા +91 90992 32411.

हम इन शर्तों को अद्यतन कर सकते हैं; ऊपर दी गई तारीख़ वर्तमान संस्करण दर्शाती है। प्रश्न: mahakalgausevatrust@gmail.com या +91 90992 32411